ભૂમિતિ અને ગણિતનો રહસ્યમય આંક : પાઇ - π




••|||•• ચોરસ કે લંબચોરસનું ક્ષેત્રફળ જાણવું સરળ છે. પરંતુ વર્તુળનું ક્ષેત્રફળ જાણવા માટે 'પાઇ' જરૃરી છે. વર્તુળના પરિઘને વ્યાસ વડે ભાગવાથી પાઇ આંક મળ્યો.

••|||•• કોઇ પણ વર્તુળમાં આ માપ અચળ છે પરંતુ રહસ્યમય છે. પાઇનો આંક એટલે ૨૨ ભાગ્યા ૭. આ આંક પ્રાચીનકાળમાં ગણિતશાસ્ત્રી ટોલોમીએ શોધેલો. વર્તુળની ત્રિજ્યાના વર્ગને પાઇ વડે ગુણતા તેનું ક્ષેત્રફળ આવે.

••|||•• આમ પાઇનો આંક ભૂમિતિ અને ગણિતશાસ્ત્રમાં અત્યંત ઉપયોગી સાબિત થયો. પરંતુ સાચું કે પૂરું માપ હજી સુધી મળ્યું નથી. ૨૨ ને ૭ વડે ભાગો, ભાગાકાર લંબાવ્યે જ રાખો પણ અપૂર્ણાંકનો છેડો જ ન આવે. એક ગણિતશાસ્ત્રીએ ૩ પછી અપૂર્ણાંકના ૭૦૦ આંકડા લખ્યા પણ રકમ પૂરી થતી નથી.

••|||•• આજે પાઇ એટલે ૩.૧૪૧૫૯ સુધીનો સિમિત આંક ગણતરીમાં વપરાય છે. ભૂમતિની ભાષામાં પાઇને અચળાંક કહે છે. ગ્રીક ભાષાનો સોળમો મૂળાક્ષર 'પાઇ' છે. આ અંકને પણ પાઇ નામ અપાયું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો