શેક્સપીયર:
કોઈ દિવસ કોઈની લાગણીઓ સાથે રમશો નહિ કારણ કે કદાચ ત્યારે તમે એ રમતમાં જીતી જશો પણ એ વ્યક્તિને કાયમ માટે તમારા જીવન માંથી ખોઈ બેસશો.
નેપોલિયન:
આ દુનિયા એ ગણું સહન કર્યું છે, નહિ કે ખરાબ લોકો ના તોફાન થી પણ સારા લોકો ના મૌન ના કારણે સહન કરવું પડ્યું છે.
આઈનસ્ટાઇન:
હું મારા જીવનમાં સદાય એ લોકો નો આભારી છું જેમને મને દરેક વાતમાં ના પડી કારણ કે એટલા માટે જ હું જીવનમાં આટલું બધું કરી શક્યો.
અબ્રાહમ લિંકન:
જો મિત્રતા તમારી કમજોરી છે તો તમે દુનિયાના સૌથી શક્તીશાળી વ્યક્તિ છો.
ચાર્લી ચેંમ્પ્લીન:
હસતા ચહેરા નો મતલબ એ નથી કે એનામાં દુખ નથી પણ એનો મતલબ એ છે કે એને દુખ સાથે સારી રીતે તાલમેલ કરતા આવડે છે.
વિલિયમ આર્થર:
તક ઉગતા સૂર્ય જેવી છે જો તમે લાંબો સમય એની રાહ જોઈ રહ્યા તો જતી જ રહેવાની છે.
હિટલર:
જયારે તમે ઉજાસ માં હોવ ત્યારે બધા જ તમરી સાથે રહેશે પણ જેવા તમે અંધારામાં ગયા કે તરત તમારો કાયમી સાથી પડછાયો પણ તમારો સાથ છોડી દેશે.
ગાંધીજી:
1) સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.
2) અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું.
3) ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.
4) અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.
5) બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.
6) સ્વાવલંબન : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.
7) અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.
8) અભય : નીડર રહેવું, નીડર બનવું.
9) સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.
10) સ્વાર્થ ત્યાગ : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.
12) સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો