#ગુજરાતી ભાષામાં વ્યાકરણનું મહત્વનું એક અંગ એટલે અલંકાર
સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકિય તત્વોને અલંકાર કહેવામાં આવે છે.
અલંકારના મુખ્ય બે પ્રકાર છે.
(૧) અર્થાલંકાર
(૨) શબ્દાલંકાર
(૧) અર્થાલંકારઃ
વાક્યમાં અર્થની મદદથી ચમત્કૃતિ કે નવીનતા આવતી હોય તેને અર્થાલંકાર કહેવામાં આવે છે.
(૨) શબ્દાલંકારઃ
જે વાક્યમાં શબ્દની મદદથી ચમત્કૃતિ કે નવીનતા સર્જાતી હોય તેને શબ્દાલંકાર કહેવાય છે.
(1) અર્થાલંકારના પ્રકારઃ
(૧) ઉપમા અલંકારઃ
બે જુદી-જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે.
અથવા
ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે.
* ઉપમેય અલંકારઃ વાક્યમાં જેની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવામાં આવે છે.
* ઉપમાન અલંકારઃ વાક્યમાં જેના સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહેવામાં આવે છે.
* ઉપમા વાચક શબ્દો એટલે શું?
બે જુદી-જુદી વસ્તુઓ વચ્ચેના કોઈ એક ખાસ ગુણને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.
જેમકે…, સમ,સરખુ,સમાન,સમોવડુ,તુલ્ય,પેઠે,જેવુ,જેવી વગેરે ઉપમા વાચક શબ્દો કહેવામાં આવે છે.
દાઃત- સ્વામી વિવેકાનંદ શક્તિના ધોધ સરીખા હતા.
(૨) ઉત્પ્રેક્ષા અલંકારઃ
ઉપમેય અને ઉપમાન સમાન હોવાની કલ્પના,સંભાવના થતી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
જેમકે…, જાણે,રખે,શક,શું….
દાઃત- હૈયુ જાણે હિમાલય
(૩) વ્યતિરેક અલંકારઃ
ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે.
દાઃત- ભારત કરતાં ગુજરાત મોટુ
- કમળ કળી થકી કોમળ છે અંગ મારી બેની નું.
(૪) વ્યાજસ્તુતિ અલંકારઃ
નીંદા વડે વખાણ અને વખાણ વડે નીંદા કરવામાં આવે તેને વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે.
દાઃત- અહો! શું તમારા દાંત જાણે પીળી લસણની કળી.
(૫) રૂપક અલંકારઃ
ઉપમેય અને ઉપમાનને બંને એક જ હોય એ રીતે વર્ણવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.
દાઃત-સંસાર સાગર અસાર છે.
- ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો.
(૬) અનન્વય અલંકારઃ
ઉપમેયની સરખામણી કરવા માટે યોગ્ય ઉપમાન ન મળતાં ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે.
દાઃત- મા તે મા
- લત્તા તો લત્તા જ,કહેવુ પડે એનુ તો.
(૭) શ્લેષ અલંકારઃ
જ્યારે એ શબ્દનાં એક કરતાં વધારે અર્થ થઈને નવીન ચમત્તકૃતિ આવે ત્યારે શ્લેષ અલંકાર બને છે.
દાઃત- જવાની તો જવાની છે.
-દિવાનથી દરબાર છે અંધારું ઘોર.
(૨) શબ્દાલંકારના પ્રકારઃ
(૧) વર્ણાનું પ્રાસઃ
જ્યારે આપેલી પંક્તિમાં કે વાક્યમાં ઓછામાં ઓછા ત્રણ કે ત્રણથી વધુ શબ્દોમાં આરંભે એકનો એક વર્ણ કે અક્ષર વારંવાર પુનરાવર્તન પામે ત્યારે વર્ણાનું પ્રાસ અલંકાર બને છે. તેને અનુપ્રાસ કે વર્ણ સગાઈ પણ કહે છે.
દાઃત- અવીનાશીન અન્નકોટનાં અવિનીત અમૃત ઓડકાર.
- ભુખથી ભૂંડી ભીખ છે.
(૨) શબ્દાનું પ્રાસઃ
જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એક સરખાં ઉચ્ચાર કે પ્રાસ ધરાવતાં બે કે બેથી વધુ શબ્દો આવીને વિવિધ અર્થ બતાવે ત્યારે શબ્દાનું પ્રાસ બને છે.તેને યમક અને ઝડ પણ કહે છે.
દાઃત- કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો
- ખરે નર ખર જાવુ.
(૩) અંત્યાનુ પ્રાસ અલંકારઃ (પ્રાસાનુ પ્રાસ)
એક પછી એક આવતી બે પંક્તિ કે બે ચરણનાં છેડે કે અંતે એક સરખાં પ્રાસ કે ઉચ્ચાર વાળા શબ્દો આવીને જુદા-જુદા અર્થ ધરાવે ત્યારે અંત્યાનું પ્રાસ કે પ્રાસાનું પ્રાસ અલંકાર બને છે. આ અલંકાર હંમેશા બે પંક્તિમાં જ હોય છે.
દાઃત-ઝાકળના પાણીનું બિંદુ એકલવાયુ બેઠુતું,
સૂરજ સામે જોતુ‘તુને એકલુ એકલુ રોતુતું.
(૪) આંતર પ્રાસ/પ્રાસ સાંકળીઃ
જ્યારે પહેલા ચરણનાં છેલ્લા શબ્દ અને બીજા ચરણનાં પહેલા શબ્દ વચ્ચે પ્રાસ કે ઉચ્ચાર રચાય ત્યારે આંતર પ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર બને છે.
દાઃત- મહેતાજી નિશાળે આવ્યા,લાવ્યા પ્રસાદને કર્યાં ઉત્સવ.
- પ્રેમ પદારથ અમે પામીએ,વામીએ જન્મ મરણ જંજાળ.
YOU KNOW
[01] વડોદરા : લીલો ચેવડો, ભાખરવડી
[02] ભરૂચ : ગુંદરપાક, ખારીશિંગ
[03] સૂરત : ઘારી, સુરતી લોચો, જલેબી, ઊંઘીયું, ખમણ
[04] વલસાડ : ચીકુ
[05] ડાકોર : ગોટા
[06] ઉત્તરસંડા : પાપડ, મઠિયા
[07] રાજકોટ : પેંડા, ભજીયા, ચીક્કી
[08] જામનગર : કચોરી, પાન.
[09] ખંભાત : હલવાસન, સુતરફેણી
[10] લીમડી : કચરિયું
[11] નડિયાદ : ચવાણું
[12] કચ્છ : દાબેલી, ગુલાબપાક
[13] ભાવનગર : ગાંઠિયા, ફૂલવડી
[14] અમદાવાદ : ભજીયા (રાયપુર)
[15] ખેડા : ઘઉંનો પોંક
[16] બારડોલી : પાત્રા
[17] જૂનાગઢ : કેરી
[18] પોરબંદર : ખાજલી, થાબડી
[19] થાન : પેંડા
[20] ગોંડલ : મરચા
[21] આણંદ : દાળવડા
[22] પાલીતાણા : ગુલકંદ
[23] ડિસા : બટાટા
[24] ચોટીલા : ખાંડના લાડુ
[25] રંઘોલા (પાલીતાણા પાસે) : ફૂલવડી
ગુજરાતનાં મ્યુઝિયમો
ભારતમાં મ્યુઝિયમોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનો બીજો નંબર આવે છે.
ગુજરાતમાં કુલ ૨૬ મ્યુઝિયમો છે.
(૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા.-આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે.
(૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા.
-આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે.
(૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ.
-ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા.
આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે.
(૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ,વડોદરા.
-તેમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૫) મેડિકલ કોલેજનું મ્યુઝિયમ,વડોદરા.
-મેડિકલ કોલેજમાં એનેટોમી,ફાર્મેકોલોજી,ટોક્સીલોજી,પેથોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિન.આમ ચાર વિભાગોનાં ચાર મ્યુઝિયમ છે.આ ઉપરાંત વડોદરામાં એગ્રીક્લ્ચર મ્યુઝિયમ પણ હાલમાં થયેલ છે.સદરહુ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.
(૬) મ્યુનિસિપલ મ્યુઝિયમ-સંસ્કાર કેન્દ્ર , અમદાવાદ.
-ગુજરાત મ્યુઝિયમ સોસાયટી સંચાલિત આ મ્યુઝિયમમાં એન.સી.મહેતા સંગ્રહ છે,જેમાં લઘુચિત્રો તથા હસ્તપ્રતોનાં લઘુચિત્રો સંગ્રહેલાં છે.અહિં ઘણીવાર વિભિન્ન હંગામી પ્રદર્શનો પણ યોજાતા હોય છે.
(૭) ભો.જે.વિધ્યાભવન- અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ, અમદાવાદ.
-આ સંદર્ભ મ્યુઝિયમ છે અને તેમાં હસ્તપ્રતો,તાડપત્રો, સિક્કઓ,ફોસિલો વગેરે પ્રાચિન અવશેષો પ્રદર્શિત કરેલા છે.
(૮) કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઈલ, અમદાવાદ.
-ગુજરાતમાં કાપડને લગતું આ એક માત્ર મ્યુઝિયમ છે.તેથી તે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.તે ખાનગી મ્યુઝિયમ છે અને તેમાં મુખ્યત્વે કાપડ અને ભારતનાં વિશિષ્ટ પોશાકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૯) બી.જે.મેડિકલ કોલેજનું મ્યુઝિયમ, અમદાવાદ.-તેમાં એનેટોમી,પેથોલોજી, ફોર્મેકોલોજી, હાઈજીન અને ફોરેન્સિક મેડિસિન-આ પ્રત્યેક વિભાગને પોતપોતાના વિષયોના નમૂના દર્શાવતું મ્યુઝિયમ છે.
(૧૦) ગાંધી સ્મારક સંગ્રહાલય,સાબરમતી, અમદાવાદ.
-આ મ્યુઝિયમને પર્સોનેલિયાં-મ્યુઝિયમાં મુકી શકાય કારણકે તેમાં ફ્ક્ત ગાંધીજીની તસવીરો,ગાંધીજી વિષેનું સાહિત્ય અને તેમના જીવનકાળ દર્મ્યાનનાં તેમના અવશેષો એટલે કે તેમની અંગત વસ્તુઓ પ્રદર્શિત કરેલાં છે.
-આ ઉપરાંત, અમદાવાદમાં એલ.ડી.ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાં નાનું સરખું મ્યુઝિયમ છે;તેમાં મુખ્યત્વે જૈન સંસ્કૃતિની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
-પ્રાકૃતિક ઈતિહાસ વિષયક મ્યુઝિયમ પણ અમદાવાદમાં કાંકરિયા પાસે પ્રાણીસંગ્રહાલયમાં છે.
-તે ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠમાં ટ્રાઈબલ અને ઈથનોલોજીકલ મ્યુઝિયમ છે,જેમાં ગુજરાતનાં આદિવાસીઓ અને જનજાતિઓનો પહેરવેશ તથા મોડેલો વગેરેનો સંગ્રહ રાખવામાં આવેલ છે.
(૧૧) સાપુતારા મ્યુઝિયમ, સાપુતારા.
-મ્યુઝિયમમાં મુખ્યત્વે માનવજાતિશાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૧૨) સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત.
-તેમાં કલાવિષયક વસ્તુ પ્રદર્શિત કરેલી છે.
(૧૩) આર્ટ એન્ડ આર્કિયોલોજી મ્યુઝિયમ, વલ્લભવિધ્યાનગર.
-તેમાં કલા અને પુરાતત્વ વિધ્યાને લગતી વસ્તુઓનો સંગ્રહ છે.
-તે ઉપરાંત આણંદમાં એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ પણ આવેલુ છે.
(૧૪) કચ્છ મ્યુઝિયમ, ભુજ.
- આ મ્યુઝિયમને બહુહેતુક પ્રકારનાં મ્યુઝિયમમાં મુકી શકાય.કારણકે તેમાં વિભિન્ન વિષયોની વિવિધ વસ્તુઓને પ્રદર્શિત કરી છે.
(૧૫) વોટસન મ્યુઝિયમ , રાજકોટ.
-વડોદરા પછીનું મહત્વનું મ્યુઝિયમ આ છે,જે બહુહેતુક છે.
(૧૬) દરબારહોલ મ્યુઝિયમ, દીવાનચોક, જૂનાગઢ.
- આ પણ એક બહુહેતુક મ્યુઝિયમ છે.
(૧૭) જૂનાગઢ મ્યુઝિયમ, સક્કરબાગ, જૂનાગઢ.-તેમાં કલા, પુરાતત્વ વિધ્યા, પ્રાકૃતિક ઈતિહાસનાં નમૂનાં છે.
(૧૮) બાર્ટન મ્યુઅઝિયમ , ભાવનગર.
-તેમાં શિલ્પો, શિલાલેખો, તામ્રપત્રો, સંસ્કૃત હસ્તપત્રો,વલભીના માટીકામનાં નમૂનાઓ,ધાતુની પ્રતિમાઓ,તૈલચિત્રો,ફોસિલો વગેરેનો સંગહ છે.
(૧૯) ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, ભાવનગર.
-તેમાં ગાંધીજીની અંગ વસ્તુઓ , તસવીરોનો સંગ્રહ છે.
(૨૦) લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર.-તેમાં માનવશાસ્ત્રને લગતાં નમૂનાઓનો સંગ્રહ છે.
(૨૧) જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટિઝ, જામનગર.
- તેમાં કલા અને પુરાતત્વવિષયક વસ્તુઓનો સંગ્રહ છે.
(૨૨) પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ.
- આ મ્યુઝિયમ પુરાતત્વવિધ્યાવિષયક છે.
(૨૩) શ્રી ગીરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી.
-તેને મ્યુઝિયમ સ્વરૂપે મુકેલ છે.
(૨૪) ગાંધી મેમોરીયલ રેસીડેન્સિયલ મ્યુઝિયમ, પોરબંદર.
-તેમાં ગાંધીજીનાં જીવનનો ઈતિહાસ દર્શાવવામાં આવેલો છે.
(૨૫) ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ.
-જે બાળકો માટે છે.
(૨૬) રજનીપરીખ આર્ટસ કોલેજ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, ખંભાત.
-જેમાં ખંભાત આર્કિયોલોજી વિષય અંગેનો સંગ્રહ કરવામાં આવેલો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો