લેબલ અવનવુ જાણવા જેવું સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અવનવુ જાણવા જેવું સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

♥ હેલીનો ધૂમકેતુ ♥

💥 બ્રહ્માંડમાં ગ્રહો અને અવકાશી પદાર્થો ઉપરાંત પૂંછડિયા તારા કે ધૂમકેતુ પણ જોવા મળે છે. ધૂમકેતુ અન્ય ગ્રહોની જેમ નિયમિત પ્રદક્ષિણા કરતાં હોય છે.

💥 ધૂમકેતુ હજારો વર્ષથી આકાશદર્શન કરનારાઓમાં અજાયબી ગણાય છે. પ્રાચીન કાળમાં ધૂમકેતુઓ સાથે દંતકથાઓ વણાયેલી હતી.

💥 ઘણા ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી પરથી દેખાતા ધૂમકેતુઓ શોધી કાઢયા છે. અંગ્રેજ વિજ્ઞાાની એડમન્ડ હેલીએ શોધેલો ધૂમકેતું વિશિષ્ટ છે. તેના નામ ઉપરથી તેને હેલીનો ધૂમકેતુ કહે છે.

💥 હેલીનો ધૂમકેતુ આકાશમાં તેજલિસોટાની જેમ પસાર થાય છે. દર ૭૫ વર્ષ તે પૃથ્વી પરથી જોવા મળે છે. હેલીનો ધૂમકેતુ પ્રદક્ષિણા ૭૪ થી ૭૯ વર્ષે પુરી કરે છે.

💥 હેલીનું માથુ માત્ર આઠકિલોમીટર વ્યાસનું છે. પણ તેની પૂંછડી દસલાખ કિલોમીટર લાંબી છે.

💥 હેલીનો ધૂમકેતુ એક માત્ર ટૂંકી પ્રદક્ષિણા ધરાવતો છે અને પૃથ્વી પરથી નરી આંખે દેખાય છે. છેલ્લે તે ૧૯૮૬ના ફેબ્રુઆરીમાં જોવા મળ્યો હતો. હવે ૨૦૬૧ના જૂલાઈની ૨૮ તારીખે જોવા મળશે.

♥ આપણું રાષ્ટ્રીય પ્રતીક : અશોકસ્તંભ ♥

👍🏼  રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું ચિત્ર તો તમે જોયું જ હશે. ચલણી નોટો, સિક્કા અને રાષ્ટ્રીય દસ્તાવેજોમાં તે અચૂક જોવા મળે.

🌸  અશોક સ્તંભમાં એક સ્તંભ ઉપર ચારે દિશા તરફ મોં રાખીને બેઠેલા ચાર સિંહનું શિલ્પ છે. દરેક સિંહની નીચે ૨૪ આરાવાળું અશોકચક્ર છે. ચારે ચક્રની વચ્ચે વૃષભ (આખલો), અશ્વ (ઘોડો), હાથી અને સિંહનું એમ ચાર શિલ્પો છે.

🌸  ભગવાન બુદ્ધનો જન્મ થયો ત્યારે તેમની માતાને સ્વપ્નમાં હાથી દેખાયેલો એટલે હાથી, તેમનો જન્મ વૃષભ રાશિમાં થયેલો. તેનું પ્રતીક વૃષભ, બુદ્ધે ગૃહત્યાગ વખતે કંથક નામના ઘોડા ઉપર સવારી કરેલી તેનું પ્રતીક અશ્વ અને છેલ્લે સિંહ એટલે જ્ઞાન અને શક્તિનું પ્રતીક છે. આમ, આપણું રાષ્ટ્રીય પ્રતીક જ્ઞાન અને શક્તિનો સંદેશ આપે છે.

🌸  અશોક સ્તંભ બીજી સદીમાં થઇ ગયેલા મૌર્ય સમ્રાટ અશોકે બંધાવેલા. દેશમાં ઘણા સ્થળોએ આવા સ્તંભ બંધાવેલા. હાલમાં ૧૪ સ્તંભોના અવશેષો જોવા મળે છે. બધા જ સ્તંભો પથ્થરના શિલ્પ છે. બધા જ સ્થંભો સરેરાશ ૪૦થી ૫૦ ફૂટ ઉંચા છે અને ૫૦ ટન વજનના છે. મોટા ભાગના સ્તંભો બિહારના સારનાથ, સાંચી, છપરા, ચંપારણમાં છે. એક સ્તંભ પાકિસ્તાનના ખૈબર વિસ્તારના રાણી ગેટમાં જોવા મળે છે.

♥ વરસાદ વિશેની અજાણી વાતો ♥

☔ સૌથી ઓછો વરસાદ રણપ્રદેશમાં નહીં પણ બરફથી ઢંકાયેલા એન્ટાર્કટીકામાં પડે છે

☔ વરસાદને કારણે દરેક વખતે જમીન ભીની થતી નથી કારણ કે ગરમ પ્રદેશમાં વરસાદ જમીન પર પડતાની સાથે જ વરાળ બની ઉડી જતો હોય છે.

☔ વરસાદની પોતાની કોઇ ગંધ કે સ્વાદ હોતો નથી.તેમાં બીજા તત્ત્વો ઉમેરાવાને કારણે તેનો સ્વાદ અને સુગંધ આવે છે.

☔ દરેક વરસાદના ટીપામાં પાણી હોય જ એ જરૂરી નથી.કેટલાક વરસાદના ટીપામાં માત્ર એસિડ અને ઝેરી વાયુઓ જ હોય છે.

☔ વાદળોના આકાર અને રંગ પરથી પણ વરસાદ પડશે કે નહીં તે જાણી શકાય છે.થોડું લાંબુ અને સપાટ વાદળું હોય કે કાળાશ પડતા   કે રાખોડી રંગનું હોય તો ૨૪ કલાકમાં વરસાદ પડશે એવું કહી શકાય.

☔ વરસાદનું એક ટીપું વાતાવરણમાં લગભગ ૧૦ દિવસ સુધી રહે છે.

☔ યુગાન્ડાના લોકોને વીજળીની બીક ક્યારેય લાગતી નથી.કારણ કે ત્યા વર્ષના ૩૬૫ દિવસોમાંથી ૨૫૦ દિવસ વરસાદ પડવા સાથે વીજળી થતી હોય છે.

☔ શુક્ર અને મંગળ પર સલ્ફર અને મિથેનનો વરસાદ પડે છે.

☔ પૃથ્વીથી ૫૦૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલા એક ગ્રહ પર તો લોખંડના કણનો વરસાદ પડે છે.

☔ આખી દુનિયામાં ભારતના ચેરાપુંજી (મોનસિનરમ) માં સૌથી વધુ વરસાદ પડે છે.ત્યાં વરસમાં ૨૬૪૬૦ મિ.મી. વરસાદ પડે છે.

☔ અમેરિકાનાં હવાઇ રાજ્યમાં આવેલા વાયાલિયાલી પર્વત પર વર્ષનાં ૩૬૫ દિવસમાંથી ૩૫૦ દિવસ વરસાદ પડે છે.

☔ અત્યાર સુધીનો સૌથી વધારે વરલાદ લા રિયુનિયન નામના ટાપુ પર પડ્યો હતો.ત્યા ૨૪ કલાકમાં ૭૧ ઇંચ વરસાદ પડેલો.

☔ ક્યુબામાં માત્ર બપોરે વરસાદ પડે છે અને થાઇલેન્ડમાં માત્ર રાત્રે વરસાદ પડે છે.

☔ બ્રાઝિલના આવેલા પેરામાં લોકો વરસાદને આધારે પણ પોતાની ઘડિયાળ સેટ કરતા હોય છે.કેમ કે ત્યા દરરોજ એક જ સમયે વરસાદ પડે છે.

☔ સામાન્ય રીતે આપણે ચિત્રોમાં કે કાર્ટુન્સમાં જોઇએ છીએ તેમ વરસાદના ટીપાનો આકાર આંસુના ટીપા જેવો નથી હોતો.હકીકતમાં વરસાદનાં ટીપા ઇંડાના આકાર જેવા હોય છે.

☔ સત્તરમી સદીમાં ઇંગ્લેન્ડમાં એવો કાયદો પસાર કરવામાં આવેલો કે જો વરસાદની આગાહી કરનારો માણસ વરસાદની ખોટી આગાહી કરે તો તેને ફાંસીએ ચડાવી દેવો.

♥ આકાશમાં હવાઈ સરહદ કઈ રીતે નક્કી થાય છે ? ♥

🚁   દેશના જમીન વિસ્તારની ઉપર ૩૦૪૮૮ મીટરની ઉંચાઈ સુધી હવાઈ તે દેશની સરહદ ગણવાનો નિયમ છે. તેથી વધુ ઉંચાઈનું સમગ્ર આકાશી આંતર રાષ્ટ્રીય બગીચા જેવું છે.

🚁    આકાશમાં ઉડતાં વિમાનો દેશવિદેશની સફર માટે ચોક્કસ માર્ગ પર ઉડતા હોય છે અને દરેક દેશને પોત પોતાની હવાઈ સરહદ હોય છે.

🚁    જમીન પર સરહદ નક્કી કરવા માટે તારની વાડ કે દિવાલ બાંધી શકાય. પરંતુ આકાશમાં સરહદ કેવી રીતે નક્કી થતી હશે તે જાણો છો ? સામાન્ય રીતે વિમાનો આકાશમાં લગભગ ૩૦૫૦૦ મીટરની ઊંચાઈએ ઉડી શકે છે.

🚁   તેનાથી વધુ ઉંચાઈએ હવા પાતળી હોવાથી ખાસ પ્રકારના વિમાનો જ ઉડી શકે છે. એટલે દરેક દેશના જમીન વિસ્તારની ઉપર ૩૦૪૮૮ મીટરની ઉંચાઈ સુધી હવાઈ તે દેશની સરહદ ગણવાનો નિયમ છે.

🚁   તેથી વધુ ઉંચાઈનું સમગ્ર આકાશી આંતર રાષ્ટ્રીય બગીચા જેવું છે. તેનાથી વધુ ઉંચાઈએ ફરી રહેલા સેટેલાઈટને કોઈ સરહદ કે સીમાનો નિયમ લાગુ પડતો નથી.

♥ વનસ્પતિના પાન લીલા અને ફૂલો રંગબેરંગી કેમ હોય છે? ♥

🌿 પૃથ્વી પર થતી તમામ વનસ્પતિના પાન લીલાં જ હોય છે. જો કે કોઈક વનસ્પતિના પાન લાલ જોવા મળે છે અને પાનખર ઋતુમાં પીળા હોય છે. પરંતુ વનસ્પતિના પાનનો કુદરતી રંગ તો લીલો જ હોય છે. લીલો રંગ વનસ્પતિનું જીવન કહેવાય.

🌱 લીલો રંગ તેમાં રહેલા કલોરોફીલને કારણે હોય છે અને કલોરોફીલ એટલે વનસ્પતિના ખોરાકનું કારખાનું.

🍀 સૂર્ય પ્રકાશમાંથી કલોરોફીલ વનસ્પતિ ખોરાક બનાવે છે અને વિકાસ પામે છે. એટલે ખોરાક મેળવવા માટે દરેક વનસ્પતિના પાન લીલાં હોય છે.

💐 જ્યારે ફૂલો રંગબેરંગી હોય છે. ફૂલોનું મુખ્ય કામ વનસ્પતિનો વંશ જાળવવાનું છે. ફૂલોમાં બીજો છોડ ઉત્પન્ન કરવા માટે પરાગરજ હોય છે. પરાગરજને બીજા છોડ સુધી પહોચાડવી જરૂરી છે.

🌷 છોડ કે વૃક્ષ ચાલી શક્તા નથી એટલે આ પરાગરજ બીજા છોડના ફૂલ ઉપર પહોચાડવા માટે મધમાખી કે પતંગિયાનો સહારો લેવો પડે છે. હવે પતંગિયા કંઈ એમને એમ તો છોડ ઉપર આવે નહીં.તેમને આકર્ષવા માટે વનસ્પતિના ફૂલ રંગબેરંગી બનાવવા પડયા. કેટલાક ફૂલ તો રાત્રે ખીલીને પણ જંતુઓને આકર્ષે છે.

🌹 આમ પતંગિયા અને ઉડતા જંતુઓને આકર્ષવા માટે ફૂલો રંગબેરંગી હોય છે.

🔰 સૌજન્ય 🔰

- ઝગમગ

♥ પર્વત ♥

🌿  પૃથ્વીના પેટાળમાં થતી ઉથલપાથલને કારણે પૃથ્વીની સપાટી પર વિશાળ ખાડા અને ટેકરા બન્યાં. બે ટેક્ટોનિક પ્લેટ્સ નજીક આવે અને અથડાય ત્યારે દબાણને કારણે જમીનમાં સળ પડે અને વચ્ચેની જમીન ઊંચકાય અને પર્વત બને. આ કારણે જ મોટા ભાગના પર્વતો સળંગ પર્વતમાળા સ્વરૂપે બન્યા. સામાન્ય રીતે ૩૦૦ મીટરથી ઊંચા ટેકરાને ભૌગોલિક રીતે પર્વત કે માઉન્ટન કહે છે.

🌿  વિવિધ ભૌગોલિક સ્થિતિને કારણે વિવિધ પ્રકારના પર્વતો બન્યા. ઉંચા પર્વતો પર હવા ઠંડી અને પાતળી હોવાથી બરફ જામેલો રહે છે.

🌿 જમીનમાંથી કોઈક સ્થળે ધસી આવેલા લાવાને કારણે જમીન ઊંચકાઈને જ્વાળામુખી પર્વત બને છે. જ્વાળામુખી વચ્ચેથી પોલાણવાળો હોય   છે જેમાંથી લાવા ધસીને ટોચે મુખમાંથી બહાર ફેંકાય છે.

🌿 વિશ્વની સૌથી મોટી પર્વતમાળા હિમાલય ૨૪૧૩ કિલોમીટર લાંબી છે. તેમાં અનેક શિખરો છે. વિશ્વનું સૌથી ઊંચું એવરેસ્ટ શિખર હિમાલયમાં છે.

🌿 વિશ્વનાં અન્ય નોંધપાત્ર પર્વતોમાં આલ્પ્સ અને કોકેશસ છે.

🌿  આફ્રિકામાં કિલીમાંજારો અને રુવેનઝોરી મુખ્ય પર્વતમાળાઓ છે. કિલીમાંજારો સુષુપ્ત જ્વાળામુખી છે. વિશ્વનો સૌથી ઊંચો પર્વત મૌનાકિયા ૯૦૮૨ મીટર ઊંચો છે તે સમુદ્રમાં હોવાથી મોટો ભાગ સમુદ્રમાં ડૂબેલો છે.
 

♥ પશુ-પંખીનાં બચ્ચાં જલદી કેમ મોટાં થઈ જાય છે? ♥


🌺  માનવીનું બાળક એક વરસનું થાય ત્યારે માંડ પા પા પગલી પાડતાં શીખે છે, જ્યારે બિલાડી, કૂતરો, મરઘી કે ચકલીનાં બચ્ચાં એક વર્ષમાં પૂરેપૂરાં મોટાં થઈ જાય. ઘણી વખત એવો વિચાર આવતો હશે કે આવું કેમ થાય છે?

🌺  બચ્ચું જન્મ્યા પછી એનું શરીર કઈ ઝડપે વધે એનો આધાર જે તે પશુ-પંખી કેટલાં વર્ષ જીવે છે એની ઉપર હોય છે. જે જાનવર જેટલું ઓછું જીવતું હોય તેમ એનાં બચ્ચાંનું શરીર ઝડપથી વધવા માંડે છે. મરઘી પાંચ કે સાત વર્ષ માંડ જીવે છે એટલે મરઘીનાં બચ્ચાં ઈંડાંમાંથી નીકળ્યાં નથી કે બે-ચાર કલાકમાં પોતાની મેળે ચણતાં શીખી જાય છે અને ચાર-પાંચ મહિનામાં મોટાં થઈ જાય છે.

🌺  કૂતરો લગભગ વીસ વર્ષ જીવે છે એટલે એનાં બચ્ચાં એક-દોઢ વર્ષે મોટાં થાય છે.

🌺  માણસનું બાળક પાંચ વર્ષે જેટલું શીખી જાય, જેટલું મોટું થાય એટલું શીખવામાં, એટલાં  મોટાં થવામાં કૂતરાંનાં ગલૂડિયાને એક જ વર્ષ લાગે.

🌺 મોટા થવામાં બીજું કારણ પશુ-પંખીની હોશિયારી ઉપર પણ છે. પશુ-પંખી જેમ બુદ્ધિશાળી હોય તેમ ઊંચાં કુળનાં ગણાય છે. માણસનું મગજ સહુથી અટપટું છે. શરીરના પ્રમાણમાં મગજ પણ વધવું જોઈએ. મગજને વધતાં ખૂબ સમય લાગે છે એટલે જે જાનવરનું મગજ જેટલું ઓછું બુદ્ધિશાળી હોય તેમ તેને બનતાં ઓછો સમય લાગે. એ રીતે એનું શરીર ઝડપથી મોટું થતું જાય.

♥ મચ્છર ♥

💟  ધરતી પર મચ્છરોની 3500 થી વધારે પ્રજાતિઓ છે અને તે 20 કરોડ વર્ષ પહેલાં ધરતી પર આવ્યા હતાં.

💟  મચ્છર લગભગ 16 મિલીમીટર લાંબા અને 2.5 મિલીગ્રામ વજનનાં હોય છે

💟  મચ્છર માણસનો શ્વાસ પણ સુંઘી શકે છે. તે 75 ફૂટ દૂરથી co2 સુંઘી શકે છે.

💟  મચ્છર પોતાનાં એક વખતનાં ડંખમાં 0.001 થી 0.1 મિલીમીટર સુધી લોહી ચૂસી શકે છે.

💟  ઇતિહાસમાં થયેલા બધાંજ યુદ્ધોથી વધારે મૃત્યુ મચ્છરનાં કરડવાથી થયાં છે.

💟  મચ્છર પોતાના વજનથી 3 ગણું વધારે લોહી ચૂસી શકે છે

💟  જ્યારે મચ્છર લોહી માટે વધારે ઉતાવળાં થઇ જાય છે ત્યારે તે કપડામાંથી પણ ડંખવા લાગે છે.

💟  આઇસલેન્ડ અને ફ્રાંસ બે જ એવાં દેશ છે જ્યાં મચ્છર નથી.

💟  જો મચ્છરોને લોહી ના મળે તો તે નવા બચ્ચા પેદા કરી શકતાં નથી.

💟  લોહી એ મચ્છરનો ખોરાક નથી, માત્ર માદા મચ્છર ઈંડાના પોષણ માટે માણસનું લોહી ચૂસે છે. જ્યારે બીજા ડંખમાંથી નીકળતું પાણી લોહીને જામી જતું અટકાવે છે.

💟  મચ્છરને ૪૭ દાંત હોય છે.

💟  મચ્છર કલાકના લગભગ દોઢ કિલોમીટરની ઝડપે ઊડે છે. તે પોતાની પાંખ એક સેકંડમાં ૩૦૦થી વધુ વખત ફફડાવીને ગણગણાટ કરતાં ઊડે છે.

💟  દર વર્ષે મેલેરિયાથી 10 લાખ લોકોના મોત થાય છે. જો માત્ર આફ્રીકાની જ વાત કરવામાં આવે તો દર 45 સેકન્ડમાં એક મોત થાય છે.

💟  બીજા રંગોની તુલનામાં મચ્છરો વાદળી રંગની તરફ વધુ આકર્ષાય છે.

💟  મચ્છર એ લોકોની તરફ વધારે આકર્ષાય છે જેમણે હજું હમણાં જ કેળું ખાધું છે.

💟  ધરતી પરનાં બધાં જ મચ્છરોને મારીને એક ફૂટબોલનાં મેદાનમાં ભેગા કરવામાં આવે તો પાંચ કિલોમીટર ઊંચો ઢગલો થઇ જશે.

💟  'O' બ્લડ ગૃપવાળા લોકોને મચ્છરો વધુ કરડે છે.

💟  જો શરીરના કોઇપણ ભાગ પર  મચ્છર બેઠેલું હોય અને તમે તેને મારવા માંગતા હોય તો તે ભાગને ટાઇટ કરી લો.પછી તમે જોશો કે મચ્છર ઊડી નહીં શકે અને તમે તેને આશાનીથી મારી શકશો.

💟  જો મચ્છરના કરડેલા ભાગ પર ખંજવાળ આવતી હોય તો તે ભાગ પર ચમચી ગરમ કરીને થોડીવાર રાખો.ખંજવાળ આવતી બંધ થઇ જશે.

♥ નાનાં જીવજંતુને મગજ હોય છે! કેવું હોય છે? ♥

જીવજંતુને મગજ હોય છે, પણ ઘણું નાનું હોય છે. તેમાં હલનચલન કરનારા અવયવોને સૂચના આપવા માટે મગજ જરૃરી હોય છે. તેમનામાં જ્ઞાનતંતુનું નેટવર્ક પણ સાવ સરળ અને નહીંવત્ હોય છે. સામાન્ય રીતે જીવડાનું જ્ઞાનતંત્ર ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે. મગજનું જોડાણ તેની છાતીનાં અનેક કેન્દ્રો સાથે જોડાયેલું હોય છે. જ્ઞાનકેન્દ્રમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ શરીરના વિવિધ ભાગ તરફ પ્રસરેલા હોય છે. જીવડાનું જ્ઞાનતંત્ર આગળના ભાગે પ્રાથમિક મગજ ધરાવે છે. જંતુશાસ્ત્રીઓ આ ભાગને મગજના ચેતાકંદ તરીકે ઓળખાવે છે. આ ભાગ તેની ઘ્રાણેન્દ્રિય, આંખો અને સ્પર્શકો સાથે જોડાયેલો હોય છે. મગજનું જોડાણ છાતીમાં અસંખ્ય કેન્દ્રો સાથે હોવાથી સૂચના આખા શરીરના અવયવોમાં પહોંચે છે.

♥ બહારથી નક્કર દેખાતો વાંસ અંદરથી પોલો કેમ હોય છે? ♥

વાંસ હકીકતમાં અંકુરમાંથી વિકાસ પામતા હોય છે. તમે એક વાંસને વચ્ચેથી કાપશો તો એમાં રહેલા અનેક સાંધા એકબીજાની અડોઅડ દેખાશે. વાંસનો અંકુર જ્યારે વિકાસ પામે છે ત્યારે અંકુર પહોળા થવાની જગ્યાએ એના સાંધાઓની વચ્ચેનું અંતર વધતું જાય છે. આ કારણે વાંસ જ્યારે લાંબા થાય છે ત્યારે એની વચ્ચેના સાંધાઓના વધતાં જતાં અંતરના કારણે એ પોલો થતો જાય છે. આમ, બહારથી નક્કર દેખાતો વાંસ અંદરથી પોલો હોય છે.

♥ ઘુવડ રાતના અંધારામાં ચોખ્ખું કેવી રીતે જોઈ શકે? ♥

🌸  ઘુવડને દિવસે દેખાય છે પણ એટલું સાફ નથી દેખાતું જેટલું રાતે દેખાય છે. એના પગમાં વાંકા નખવાળા ચાર પંજાઓ હોય છે, જેનાથી એને શિકાર પકડવામાં વધારે સગવડ રહે છે. વસ્તુમાંથી આવતો પ્રકાશ આપણી આંખોની અંદર રહેલાં લેન્સ દ્વારા આંખના પડદા પર કેન્દ્રિત થાય છે. આંખના આ પડદાને રેટિના કહેવામાં આવે છે. એના પર વસ્તુનું ઊંધું પ્રતિબિંબ પડે છે, જે મગજ દ્વારા સીધું કરાય છે અને વસ્તુ આપણને દેખાય છે. 
ઘુવડની આંખોમાં ચાર ખૂબીઓ હોય છે, જેને કારણે એને રાત્રે વધારે દેખાય છે.

👉🏻  પહેલી ખૂબી તો એ છે કે એની આંખના લેન્સ અને રેટિનાની ઉપર મોટું પ્રતિબિંબ પડે છે.

👉🏻  બીજી એની આંખમાં સંવેદનકોષોની સંખ્યા ઘણી વધારે હોય છે. એની સંખ્યા દર ચોરસ મિલિમીટરે લગભગ ૧૦,૦૦૦ હોય છે, જ્યારે આપણી આંખોમાં એની સંખ્યા ૨૦૦૦ દર ચોરસ મિલિમીટર હોય છે.

👉🏻  ત્રીજી એની આંખમાં એક લાલ રંગનો પદાર્થ હોય છે, જે ખરી રીતે એક પ્રોટીન છે. એના કારણે રાતના પ્રકાશ માટે એની આંખો વધારે સંવેદનશીલ થઈ જાય છે.

👉🏻  ચોથું, એની આંખની કીકીઓ વધારે ફેલાઈ શકે છે. જેનાથી ઓછામાં ઓછો પ્રકાશ પણ એની આંખમાં જઈ શકે છે. આ ચારે ખાસિયતોને કારણે ઘુવડને રાતે વધારે દેખાય છે.

ऑनलाइन लेनदेन में कई जोखिम, साइबर फ्रॉड से बचने के लिए ये 12 टिप्स जान लें

बात ऑनलाइन खरीदारी की हो या फिर एटीएम और क्रेडिट कार्ड के इस्तेमाल की, जरा सी चूक हजारों-लाखों रुपये का झटका दे सकती है। सरकार ऑनलाइन लेन-देन को बढ़ावा तो दे रही है, लेकिन इसमें जितना आराम है तो उतना ही बड़ा जोखिम भी है। पर इस जोखिम से हम बच सकते हैं अगर जरा सी सावधानी बरतें और जागरुक रहें। साइबर एक्सपर्ट की छोटी-छोटी लेकिन काम की टिप्स हमें साइबर फ्रॉड से बचा सकती हैं। 

भारतीय मुद्रा (रुपया ₹) से जुड़े 31 ग़ज़ब रोचक तथ्य

आपको आनंद आएगा जरुर पढें☄

भारतीय मुद्रा (रुपया ₹) से जुड़े 31 ग़ज़ब रोचक तथ्य
.
1. भारत में करंसी का इतिहास2500 साल पुराना हैं। इसकी शुरूआत एक राजा द्वारा की गई थी❗
.
2. अगर आपके पास आधे से ज्यादा (51 फीसदी) फटा हुआ नोट है तो भी आप बैंक में जाकर उसे बदल सकते हैं❗
.
3. बात सन् 1917 की हैं, जब 1₹ रुपया 13$ डाॅलर के बराबर हुआ करता था। फिर 1947 में भारत आजाद हुआ, 1₹ = 1$ कर दिया गया. फिर धीरे-धीरे भारत पर कर्ज बढ़ने लगा तो इंदिरा गांधी ने कर्ज चुकाने के लिए रूपये की कीमत कम करने का फैसला लिया उसके बाद आज तक रूपये की कीमत घटती आ रही हैं❗
.
4. अगर अंग्रेजों का बस चलता तो आज भारत की करंसी पाउंड होती. लेकिन रुपए की मजबूती के कारण ऐसा संभव नही हुआ❗
.
5. इस समय भारत में 400 करोड़ रूपए के नकली नोट हैं❗
.
6. सुरक्षा कारणों की वजह से आपको नोट के सीरियल नंबर में I, J, O, X, Y, Z अक्षर नही मिलेंगे❗
.
7. हर भारतीय नोट पर किसी न किसी चीज की फोटो छपी होती हैं जैसे- 20 रुपए के नोट पर अंडमान आइलैंड की तस्वीर है❗ वहीं, 10 रुपए के नोट पर हाथी, गैंडा और शेर छपा हुआ है, जबकि 100 रुपए के नोट पर पहाड़ और बादल की तस्वीर है❗ इसके अलावा 500 रुपए के नोट पर आजादी के आंदोलन से जुड़ी 11 मूर्ति की तस्वीर छपी हैं❗
.
8. भारतीय नोट पर उसकी कीमत 15 भाषाओंमें लिखी जाती हैं❗
.
9. 1₹ में 100 पैसे होगे, ये बात सन् 1957 में लागू की गई थी। पहले इसे 16 आने में बाँटा जाता था❗
.
10. RBI, ने जनवरी 1938 में पहली बार 5₹ की पेपर करंसी छापी थी. जिस पर किंग जार्ज-6 का चित्र था❗ इसी साल 10,000₹ का नोट भी छापा गया था लेकिन 1978 में इसे पूरी तरह बंद कर दिया गया❗
.
11. आजादी के बाद पाकिस्तानने तब तक भारतीय मुद्रा का प्रयोग किया जब तक उन्होनें काम चलाने लायक नोट न छाप लिए❗
.
12. भारतीय नोट किसी आम कागज के नही, बल्कि काॅटन के बने होते हैं❗ ये इतने मजबूत होते हैं कि आप नए नोट के दोनो सिरों को पकड़कर उसे फाड़ नही सकते❗
.
13. एक समय ऐसा था, जब बांग्लादेश ब्लेड बनाने के लिए भारत से 5 रूपए के सिक्के मंगाया करता था. 5 रूपए के एक सिक्के से 6 ब्लेड बनते थे. 1 ब्लेड की कीमत 2 रूपए होती थी तो ब्लेड बनाने वाले को अच्छा फायदा होता था. इसे देखते हुए भारत सरकार ने सिक्का बनाने वाला मेटल ही बदल दिया❗
.
14. आजादी के बाद सिक्के तांबे के बनते थे❗ उसके बाद 1964 में एल्युमिनियम के और 1988 में स्टेनलेस स्टील के बनने शुरू हुए❗
.
15. भारतीय नोट पर महात्मा गांधीकी जो फोटो छपती हैं वह तब खीँची गई थी जब गांधीजी, तत्कालीन बर्मा और भारत में ब्रिटिश सेक्रेटरी के रूप में कार्यरत फ्रेडरिक पेथिक लॉरेंस के साथ कोलकाता स्थित वायसराय हाउस में मुलाकात करने गए थे❗ यह फोटो 1996 में नोटों पर छपनी शुरू हुई थी❗ इससे पहले महात्मा गांधी की जगह अशोक स्तंभ छापा जाता था❗
.
16. भारत के 500 और 1,000 रूपये के नोट नेपालमें नही चलते❗
.
17. 500₹ का पहला नोट 1987 में और 1,000₹ पहला नोट सन् 2000 में बनाया गया था❗
.
18. भारत में 75, 100 और 1,000₹ के भी सिक्के छप चुके हैं❗
.
19. 1₹ का नोट भारत सरकार द्वारा और 2 से 1,000₹ तक के नोट RBI द्वारा जारी किये जाते हैं❗
.
20. एक समय पर भ्रष्टाचार से लड़ने के लिए 0₹ का नोट 5thpillar नाम की गैर सरकारी संस्था द्वारा जारी किए गए थे❗
.
21. 10₹ के सिक्के को बनाने में 6.10₹ की लागत आती हैं❗
.
22. नोटो पर सीरियल नंबर इसलिए डाला जाता हैं ताकि आरबीआई(RBI) को पता चलता रहे कि इस समय मार्केट में कितनी करेंसी हैं❗
.
23. रूपया भारत के अलावा इंडोनेशिया, मॉरीशस, नेपाल, पाकिस्तान और श्रीलंका की भी करंसी हैं❗
.
24. According to RBI, भारत हर साल 2,000 करोड़ करंसी नोट छापता हैं❗
.
25. कम्प्यूटर पर ₹ टाइप करने के लिए ‘Ctrl+Shift+$’ के बटन को एक साथ दबावें❗
.
26. ₹ के इस चिन्ह को 2010 में उदय कुमार ने बनाया था। इसके लिए इनको 2.5 लाख रूपयें का इनाम भी मिला था❓
.
27. क्या RBI जितना मर्जी चाहे उतनी कीमत के नोट छाप सकती हैं ❓
ऐसा नही हैं, कि RBI जितनी मर्जी चाहे उतनी कीमत के नोट छाप सकती हैं, बल्कि वह सिर्फ 10,000₹ तक के नोट छाप सकती हैं❗ अगर इससे ज्यादा कीमत के नोट छापने हैं तो उसको रिजर्व बैंक ऑफ इंडिया एक्ट, 1934 में बदलाव करना होगा❗
.
28. जब हमारे पास मशीन हैं तो हम अनगणित नोट क्यों नही छाप सकते ❓
हम कितने नोट छाप सकते हैं इसका निर्धारण मुद्रा स्फीति, जीडीपी ग्रोथ, बैंक नोट्स के रिप्लेसमेंट और रिजर्व बैंक के स्टॉक के आधार पर किया जाता है❗
.
29. हर सिक्के पर सन् के नीचे एक खास निशान बना होता हैं आप उस निशान को देखकर पता लगा सकते हैं कि ये सिक्का कहाँ बना हैं❗
.
*.मुंबई – हीरा [◆]
*.नोएडा – डाॅट [.]
*.हैदराबाद – सितारा [★]
*.कोलकाता – कोई निशान नहीं.
.
30. जानिए, एक नोट कितने रूपयें में छपता हैं❗
*.1₹ = 1.14₹
*.10₹ = 0.66₹
*.20₹ = 0.94₹
*.50₹ = 1.63₹
*.100₹ = 1.20₹
*.500₹ = 2.45₹
*.1,000₹ = 2.67₹
.
31. रूपया, डाॅलर के मुकाबले बेशक कमजोर हैं लेकिन फिर भी कुछ देश ऐसे हैं, जिनकी करंसी के आगे रूपया काफी बड़ा हैं आप कम पैसों में इन देशों में घूमने का लुत्फ उठा सकते हैं❗
*.नेपाल (1₹ = 1.60 नेपाली रुपया)
*.आइसलैंड (1₹ = 1.94 क्रोन)
*.श्रीलंका (1₹ = 2.10 श्रीलंकाई रुपया)
*.हंगरी (1₹ = 4.27 फोरिंट)
*.कंबोडिया (1₹ = 62.34 रियाल)
*.पराग्वे (1₹ = 84.73 गुआरनी)
*.इंडोनेशिया (1₹ = 222.58 इंडोनेशियन रूपया)
*.बेलारूस (1₹ = 267.97 बेलारूसी रुबल)
*.वियतनाम (1₹ = 340.39 वियतनामी डॉन्ग).

.
.
भारतीय मुद्रा प्रणाली का संशिप्त विवरण❗
.
OLD INDIAN CURRENCY SYSTEM..
Phootie Cowrie to Cowrie
Cowrie to Damri
Damri to Dhela
Dhela to Pie
Pie to to Paisa
Paisa to Rupya
256 Damri = 192 Pie = 128 Dhela = 64 Paisa (old) = 16 Anna = 1 Rupya
.
Now u know how some of the indian sayings originated..
ek 'phooti cowrie' nahin doonga...
'dhele' ka kaam nahin karti hamari bahu...
chamdi jaye par 'damdi' na jaye...
'pie pie' ka hisaab rakhna...

कैसा लगा आपको❓
अच्छी लगी हो जानकारी तो शेयर करके दूसरों को भी बताएं!

દેશ-વિદેશના વીજળીના કડાકા

 ઇ.સ. ૧૯૦૨માં પેરિસના એફિલ ટાવરની ટોચનો ભાગ વીજળી પડવાથી તૂટી પડેલો તે નવો બનાવાયો હતો.

 વીજળીના કડાકામાં એક્સ-રેનું રેડિયેશન પણ હોય છે.

 કેટલાક જ્વાલામુખીમાંથી શક્તિશાળી વીજભાર પણ નીકળે છે અને જ્વાળામુખીની ટોચે ભયંકર વીજળી થાય છે.

 વેનેઝુએલાના માર્સાઇબો તળાવ પર સતત વાવાઝોડું સર્જાયેલું રહે છે. રાત્રે લગભગ ૧૦ કલાક સુધી વીજળીના કડાકા ભડાકા થાય છે. વર્ષમાં લગભગ ૧૬૦ દિવસ વાવાઝોડાના હોય છે.

 ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વી પર વીજળીનું પ્રમાણ વધી રહ્યુંહોવાનું વિજ્ઞાાનીઓ કહે છે.

 વીજળીના ચમકારામાં સૂર્યની સપાટી કરતાં ય વધુ ગરમી હોય છે.

 ઇ.સ. ૧૯૩૯માં અમેરિકાના ઉટાહમાં વીજળી પડવાથી એક સાથે ૮૩૫ ઘેટાનાં મોત થયા હતા.

 વિશ્વમાં દર વર્ષે વીજળી પડવાથી લગભગ ૨૪૦૦ લોકોનાં મોત થાય છે.

 ૧૯૯૮માં આફ્રિકન કોંગોમાં ફૂટબોલના મેદાન પર વીજળી ત્રાટકતા એક જ ટીમના ૧૧ ખેલાડીના મોત થયા હતા.

 ભમરી



 ભમરીથી બધા ડરે છે, કારણ કે એનો ડંખ લાગે તો ક્યાંય સુધી ચામડી ચચરે અને લ્હાય બળે. જોકે ભમરી પોતાનો જીવ બચાવવા માટે જ ડંખ મારે છે.

★ ભમરી એક એવું જંતુ છે જેની વિવિધ પ્રકારની અનેક પ્રજાતિઓ છે. આજ સુધી ભમરીની લગભગ ૩૦,૦૦૦ જેટલી પ્રજાતિની ઓળખ થઈ શકી છે.

 મોટાભાગના લોકો એવું માને છે કે ભમરી એટલે એક ચમકતાં રંગનું જીવજંતુ જે હંમેશા ઝૂંડમાં જ રહે, અને બધી ભમરી જાણે ગુસ્સામાં ગણગણતી આપણને ડંખ મારવા તૈયાર હોય! પણ એવું નથી. ભમરીની મોટાભાગની જાત ખરેખર એકાંતમાં રહેવાવાળી અને ડંખ વગરની હોય છે. મનુષ્યો માટે નુકસાનકારક એવાં બીજા કીટકો અને જીવડાંને ખાઈને તેમની વસતી નિયંત્રિત કરતી હોવાથી ભમરીનું અસ્તિત્વ આપણાં માટે ફાયદાકારક છે.

 ભમરી અને મધમાખી વચ્ચે ફરક એ રીતે પારખી શકાય કે ભમરીનો પેડુનો ભાગ અણીદાર અને ઘણો નીચે હોય છે. પેડુના ભાગને છાતીથી અલગ પાડતી ખૂબ પાતળી કમર હોય છે, જેને ‘પેટીઓલ’ કહેવાય છે. પીળા, કથ્થઈ, મેટાલિક બ્લૂ, લાલ એવાં પરિચિત રંગ સિવાય પણ કલ્પના કરી શકાતી હોય એવાં બધાં જ રંગોમાં ભમરીની અવનવી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે.

 ખુલતા રંગની ભમરીની પ્રજાતિ મોટાભાગે ‘વેસ્પાઇડે’ અથવા ડંખવાળા કુટુંબની હોય છે. બધી ભમરીઓ માળો બનાવે છે. જ્યારે મધમાખી માળો બનાવવા માટે એક મીણ જેવા પદાર્થનો સ્ત્રાવ કરે છે. ભમરીઓની પ્રજાતિને પ્રાથમિક રીતે બે પેટાજૂથમાં વિભાજિત કરવામાં આવે છેઃ સામાજિક અને એકાકી.

 સામાજિક ભમરીની માત્ર એક હજાર પ્રજાતિ છે. જેમાં યલો જેકેટ્સ અને હોર્નેટ જેવી કોલોની-બિલ્ડર્સનો સમાવેશ થાય છે.

 ભમરીની વસાહત રાણીથી શરૃ થાય છે. આગલા વર્ષે સંવનન કરીને બચી ગયેલી માદા શિયાળામાં મૃતપ્રાયઃ સ્થિતિમાં સંતાઈ રહે છે. જો એ જીવી જાય તો સૌથી પહેલાં પોતાનું એક દર બનાવી એમાં સો-દોઢસો ઈંડાં મૂકે છે. એમાંથી કામદાર માદાઓ જન્મે છે. એ માદાઓ દર મોટું બનાવવામાં ભમરી માદાને મદદ કરે છે. એ સાથે જ માદા રાણી બની જાય છે. ચોમાસા સુધી ભમરીઓ દર બનાવીને એમાં બચ્ચાં વિકસાવતી રહે છે. ચોમાસામાં નર પાંખો ફફડાવીને બહાર નીકળી માદાઓ શોધીને સંવનન કરી મૃત્યુ પામે છે. સંવનન કરેલી માદા ભમરી સારી જગ્યા શોધીને શિયાળો ગાળવા સંતાઈ જાય છે. શિયાળામાં જૂની રાણીનું દર નાશ પામે છે.

 એકાકી પ્રકારની ભમરીઓ મોટી વસાહત બનાવતી નથી. એકલ-દોકલ મળીને દર બનાવે છે અને એકલી જ જીવે છે. ઈંડા મૂકવાના થાય તો નરમ શરીર ધરાવતી ઈયળોના શરીરમાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી લાર્વા બહાર નીકળે તો એ ઈયળના શરીરને અંદરથી ખાવાનું શરૃ કરે છે અને મોટા થાય છે. એમ કરતાં ઈયળ મૃત્યુ પામે છે અને લાર્વા કોશેટો બની એમાં પડયા રહે છે. પછી યોગ્ય સમયે એમાંથી નવજાત ભમરી બહાર આવે છે. આવી ભમરી માત્ર સંવનનની ઋતુમાં જ નર કે માદાને શોધે છે. ભમરી દોઢ સેન્ટિમીટરથી માંડીને દોઢ ઈંચ સુધીની હોઈ શકે.



Rahu Max