ગંગા નદી

🎻🎻જીકે ઈસ બેસ્ટ ફોર એવર🎻🎻

📚ગંગા નદી📚

🍒ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે.

🍒હિંદુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે.

🍒ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાંહિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે.

🍒શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે.

🍒દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે.

🍒આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે.

🍒ગંગાની લંબાઇ ૨૫૧૦ કિ.મી. (૧૫૫૭ માઇલ) છે.

🍒યમુના અને ગંગા મળીને ઉતર ભારત અને બાંગ્લાદેશનાં ફળદ્રુપ અને સપાટ પ્રદેશો રચે છે અને દુનિયાની સૌથી વધુ વસ્તીને પોષણ પુરું પાડે છે.

🍒દુનિયાના ૧૨ માંથી ૧ માણસ (દુનિયાની વસ્તીના ૮.૫%) ગંગા અને યમુનાના પાણીથી સિંચાતા પ્રદેશમાં રહે છે.
🍒વસતીને લીધે પર્યાવરણ અને વનચર પ્રાણીઓનો નાશ એક ચિંતાનો વિષય બની ગયો છે.

🍒ગંગામાં બે પ્રકારની ડોલ્ફીન માછલી મળી આવે છે - ગંગા ડોલ્ફીન અને ઇરાવાડી ડોલ્ફીન.

🍒ગંગામાં શાર્ક માછલી - ગ્લીફીસ ગંગેટિકસ - પણ મળી આવે છે - નદીના પાણીમાં શાર્ક ભાગ્યે જ મળી આવતી હોય છે.

📮ભૌગોલીક📮


🍒ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે.

🍒શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે.

🍒દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે.

🍒આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે.

🍒ગંગા હિમાલયની ખીણોમાંથી પસાર થતી હરિદ્વાર પાસે બહાર નીકળે છે.

🍒સપ્ટેમ્બરથી માર્ચ દરમિયાન અહિ ખાસ્સુ રાફટીંગ થાય છે.

🍒ઉત્તરપ્રદેશ અને બિહારના સપાટ પ્રદેશોમાંથી નીકળતી ગંગા ત્યાંની મુખ્ય નદી છે.

🍒તેમાં કોશી, ગોમતી, સોણે અને યમુના ભળે છે.

🍒યમુનાનું પોતાનું મહત્વ ઘણુ છે અને તે પ્રયાગપાસે ગંગામાં ભળે છે આથી પ્રયાગ તીર્થધામ છે.

🍒પ્રયાગ અત્યારે અલ્હાબાદ તરીકે ઓળખાય છે.

🍒ગંગાના કિનારા પર કાનપુર,અલ્હાબાદ, વારાણસી અને પટના એવા ઔદ્યોગિક શહેરો પણ આવેલા છે.

🌺પૌરાણીક કથા🌺


🍒રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્ર રામ અનેલક્ષ્મણને ગંગાની ઉત્પતિની વાત કરે છે.

🍒તે પ્રમાણે સગર રાજાને ૬૦,૦૦૦ પુત્રો સરખી પ્યારી પ્રજા હતી. જ્યારે સગર રાજાએઅશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞમાં બાધા નાખવા ઇન્દ્ર તે અશ્વને કપિલ મુનિનાઆશ્રમમાં મુકી આવ્યો.

🍒સગરના પુત્રો ઘોડાને શોધતા આશ્રમમાં ગયા અને કપિલમુનિને અશ્વ ચોરવા માટે અપમાન કર્યુ.

🍒ત્યારે કપિલ મુનિએ તેમને બાળીને મારી નાંખ્યા.

🍒સગરને આ વાતની ખબર પડી અને પોતાના પુત્રોની સદ્ગતિ માટે પ્રાર્થના કરી.

🍒ત્યારે તેમના જાણવામાં આવ્યું કે સ્વર્ગની નદી ગંગા ને જો પૃથ્વી પર લાવવામાં આવે અને તેમાં તેના પુત્રોના અસ્થિ પધરાવવામાં આવે તો તેમને સદ્ગતિ મળશે.

🍒સગર પછી તેનો પુત્ર અંશુમાન પછી દીલીપ વગેરેએ ગંગાને લાવવાના વ્યર્થ પ્રયત્નો કર્યા.

🍒છેવટે ભગીરથ રાજાના તપ અને કાર્યથી ગંગા પૃથ્વી પર આવવા રાજી થઇ.

🍒પરંતુ ગંગાના પ્રવાહને જો પૃથ્વી પર રોકવામાં ન આવે તો તે પાતાળમાં જતી રહે.

🍒આથી ભગીરથે ભગવાન શંકરને ગંગાના પ્રવાહને ઝીલી લેવા વિનંતિ કરી.

🍒છેવટે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી અને ભગવાન શંકરે તેને પોતાની જટામાં સમાવી લીધી.

🍒શંકરે જટામાંથી ગંગાની નાની ધારને વહાવીને પૃથ્વી પર પડવા દીધી.

🍒પછી ભગીરથ જ્યાં પણ ગયો ત્યાં ગંગા પાછળ આવતી ગઇ.

🍒રસ્તામાં જહ્નુ ઋષિના આશ્રમમાં ગંગાએ વિનાશ કર્યો આથી જહ્નુ મુનિ તેને પી ગયા અને ભગીરથની વિનંતિથી તેને પોતાના કાનમાંથી બહાર કાઢી.

🍒આમ તે જહ્નુની પુત્રી ગણાઇ અને તેનું નામ જ્હાનવી પણ પડયુ.

🍒ભગીરથ ગંગાને હિમાલયથી બંગાળ સુધી લઇ ગયા કે જ્યાં સગરના પુત્રોના અસ્થિ હતા.

🍒આમ તેમને પણ સદ્ગતિ પ્રાપ્ત થઇ.

😄પોસ્ટ વાચવા માટે આભાર😄

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો