ગુજરાત માં સહુથી મોટી બાબતો ની માહિતી


ગુજરાત માં સહુથી મોટો જિલ્લો (વિસ્તારમાં) – કચ્છ ક્ષેત્રફળ ૪૫,૬૫૨ ચો. કિમી.
ગુજરાત માં સહુથી મોટો જિલ્લો (વસ્તીમાં) – અમદાવાદ વસ્તી ૫૮,૦૮,૩૭૮
ગુજરાત માં સહુથી મોટો પુલ – ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર) લંબાઈ ૧૪૩૦ મીટર
ગુજરાત માં સહુથી મોટો પ્રાણીબાગ – કમલા નેહરુ જિયોલોજિકલ પાર્ક, કાંકરિયા અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટો મહેલ – લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા
ગુજરાત માં સહુથી મોટો મેળો – વોઠાનો મેળો (કાર્તિક પુર્ણિમા).જિ. અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટો વનસ્પતિ ઉદ્યાન – વઘઇ (જિ.ડાંગ), ક્ષેત્રફળ ૨.૪૧ ચો.કિમી
ગુજરાત માં સહુથી મોટો ઓદ્યોગિક વસાહત – અંકલેશ્વર
ગુજરાત માં સહુથી મોટી ઓદ્યોગિક સંસ્થાઓ – રિલાયન્સ, નિરમા
ગુજરાત માં સહુથી મોટી સહકારી ડેરી – અમૂલ ડેરી આણંત
ગુજરાત માં સહુથી મોટી નદી – નર્મદા
ગુજરાત માં સહુથી મોટી યુનિવર્સિટી – ગુજરાત યુનિર્વિસટી, અમદાવાદ
ગુજરાત માં સહુથીમોટી સિંચાઈ યોજના – સરદાર સરોવર યોજના, નવા ગામ ખાતે નર્મદા નદિ પર
ગુજરાત માં સહુથી મોટી હોસ્પિટલ – સિવિલ હોસ્પિટલ અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું ખાતરનું કારખાનું – ગુજરાત નર્મદા વેલી ર્ફિટલાઈઝર, ચાવજ (ચિ.ભરુચ)
ગુજરાત માં સહુથી મોટું ખેત ઉત્પાદન બજાર – ઊંઝા (જિ.મહેસાણા)
ગુજરાત માં સહુથીમોટું બંદર – કંડલા (જિ. કચ્છ)
ગુજરાત માં સહુથી મોટું રેલવે સ્ટેશન – અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું વિમાની મથક – અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું શહેર (વસ્તી દૃષ્ટિએ) – અમદાવાદ (વસ્તી – ૩૫,૦૪,૮૬૦)
ગુજરાત માં સહુથી મોટું સરોવર – નળ સરોવર, ક્ષેત્રફળ ૧૮૬ ચો. કિમી
ગુજરાત માં સહુથી મોટું સંગ્રહસ્થાન – બરોડા મ્યુઝિક એન્ડ પિક્ચર ગેલેરી, વડોદરા
ગુજરાત માં સહુથી મોટું પુસ્તકાલય – સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા
ગુજરાત માં સહુથી મોટો દરિયાકિનારો – જામનગર જિલ્લામાં, લંબાઈ ૩૫૪ કિમી
ગુજરાત માં સહુથી લાંબી નદી – સાબરમતી, લંબાઈ ૩૨૦ કિમી
ગુજરાત માં સહુથી ઊંચુ પર્વત શિખર – ગોરખનાથ (દત્તાત્રેય) – ગિરનાર, ઉંચાઈ ૧,૧૧૭ મિટર
ગુજરાત માં સહુથી ઊંચો બંધ – સરદાર સરોવર યોજના, નર્મદા નદી પર, ઉંચાઈ ૧૩૭.૧૬ મીટર
ગુજરાત માં સહુથી પહોળો પુલ – નહેરુ પુલ, અમદાવાદમાં સાબરમતી નદી પર, પહોળાઈ ૨૪ મીટર
ગુજરાત માં સહુથી સૌથી વધુ મંદિરોનું શહેર – પાલીતાણા (જિ. ભાવનગર), ૮૬૩ જૈન મંદિરો
ગુજરાત માં સહુથી મોટી પ્રકાશન સંસ્થા – નવનીત પબ્લિકેશન (ઇન્ડિયા) લિમિટેડ, અમદાવાદ.

પ્રથમ ગુજરાતી તરીકે જાણીતાં લોકો ની માહિતી

!!પ્રથમ ગુજરાતી મુદ્રક – ભીમજી પારેખ, સુરત ૧૬૭૪
પ્રથમ ગુજરાતી નાટકલેખક – પ્રેમાનંદ ભટ્ટ ૧૭ મી સદી
પ્રથમ ગુજરાતી મુદ્રણાલય સ્થાપક – દુર્ગારામ મહેતા ૧૮૪૨
પ્રથમ ગુજરાતી કવિ – દલપતરામ કવિ ૧૮૫૧
પ્રથમ ગુજરાતી મિલ સ્થાપક – રણછોડલાલ રેંટિયાવાલા અમદાવાદ ૧૮૬૦
પ્રથમ ગુજરાતી નવલકથાકાર – નંદશંકર મહેતા ૧૮૬૮
પ્રથમ ગુજરાતી કોશકાર – નર્મદાશંકર દવે ૧૮૭૩
પ્રથમ ગુજરાતી નટી – રાધા અને સોના સુરત ૧૮૭૫
પ્રથમ ગુજરાતી બિ્રટિશ સાંસદના સભ્ય – દાદાભાઇ નવરોજી ૧૮૯૧
પ્રથમ ગુજરાતી ટેસ્ટ ક્રિકેટ ખેલાડી – રણજિતસિંહજી ૧૮૯૫
પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક – વિદ્યાગૌરી નીલકંઠ અને શારદા મહેતા અમદાવાદ ૧૯૦૧
પ્રથમ ગુજરાતી વડી ધારાસભાના અધ્યક્ષ – વિઠ્ઠલભાઇ પટેલ ૧૯૨૫
પ્રથમ ગુજરાતી રાજયપાલ – ચંદુલાલ ત્રિવેદી ઓરિસ્સા ૧૯૪૬
પ્રથમ ગુજરાતી બંધારણ સભાના અધ્યક્ષ – ગણેશ માવલંકર ૧૯૪૬
પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન – સરદાર પટેલ ૧૯૪૭
પ્રથમ ગુજરાતી સર્વોચ્ચ ન્યાયમૂર્તિ – હરિલાલ કણિયા ૧૯૪૭
પ્રથમ ગુજરાતી લોકસભાના અધ્યક્ષ – ગણેશ માવલંકર ૧૯૫૨
પ્રથમ ગુજરાતી ભૂમિસેનાપતિ -રાજેન્દ્રસિંહજી ૧૯૫૩
પ્રથમ ગુજરાતી મહિલા પ્રધાન – ઇન્દુમતીબહેન શેઠ ૧૯૬૨
પ્રથમ ગુજરાતી જ્ઞાનપીઠ એવાર્ડ પ્રાપ્ત કરનાર – શ્રી ઉમાશંકર જોષી ૧૯૬૭
પ્રથમ ગુજરાતી મહિલા વિમાની – રોશન પઠાણ ૧૯૭૪
પ્રથમ ગુજરાતી કોસ્ટ એકાઉન્ટન્ટ – દર્શના પટેલ ૧૯૭૫
પ્રથમ ગુજરાતી મેગ્સેસે એવાર્ડ પ્રાપ્ત કરનાર – ઇલાબહેન ભટ્ટ ૧૯૭૭
પ્રથમ ગુજરાતી રાષ્ટ્રીય પ્રાધ્યાપક – સુનીલ કોઠારી, મુંબઇ ૧૯૮૫
પ્રથમ ગુજરાતી લોકાયુકત – ડી. એમ. શુકલ, ગાંધીનગર ૧૯૯૮
પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ , મુંબઇ હાઇકોર્ટ – નાનાભાઇ હરિદાસ
પ્રથમ ગુજરાતી મહિલા મેયર – સુલોચના મોદી, મુંબઇ
પ્રથમ ગુજરાતી મહિલા વિમાની – રોશન પઠાણ
પ્રથમ ગુજરાતી મહિલા શૅરદલાલ – હીના વોરા, અમદાવાદ
પ્રથમ ગુજરાતી મહિલા સત્રન્યાયાધીશ – સુજ્ઞાબહેન ભટ્ટ, અમદાવાદ
પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક – વિદ્યાગૌરી નીલકંઠ તથા શારદાબહેન મહેતા, અમદાવાદ
પ્રથમ ગુજરાતી હિમાલયના કારયાત્રાના વિજેતા – જયંત શાહ

દેશ-વિદેશના વીજળીના કડાકા

 ઇ.સ. ૧૯૦૨માં પેરિસના એફિલ ટાવરની ટોચનો ભાગ વીજળી પડવાથી તૂટી પડેલો તે નવો બનાવાયો હતો.

 વીજળીના કડાકામાં એક્સ-રેનું રેડિયેશન પણ હોય છે.

 કેટલાક જ્વાલામુખીમાંથી શક્તિશાળી વીજભાર પણ નીકળે છે અને જ્વાળામુખીની ટોચે ભયંકર વીજળી થાય છે.

 વેનેઝુએલાના માર્સાઇબો તળાવ પર સતત વાવાઝોડું સર્જાયેલું રહે છે. રાત્રે લગભગ ૧૦ કલાક સુધી વીજળીના કડાકા ભડાકા થાય છે. વર્ષમાં લગભગ ૧૬૦ દિવસ વાવાઝોડાના હોય છે.

 ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વી પર વીજળીનું પ્રમાણ વધી રહ્યુંહોવાનું વિજ્ઞાાનીઓ કહે છે.

 વીજળીના ચમકારામાં સૂર્યની સપાટી કરતાં ય વધુ ગરમી હોય છે.

 ઇ.સ. ૧૯૩૯માં અમેરિકાના ઉટાહમાં વીજળી પડવાથી એક સાથે ૮૩૫ ઘેટાનાં મોત થયા હતા.

 વિશ્વમાં દર વર્ષે વીજળી પડવાથી લગભગ ૨૪૦૦ લોકોનાં મોત થાય છે.

 ૧૯૯૮માં આફ્રિકન કોંગોમાં ફૂટબોલના મેદાન પર વીજળી ત્રાટકતા એક જ ટીમના ૧૧ ખેલાડીના મોત થયા હતા.

અંતરીક્ષની અજાયબી

 શનિને એન્સીલેડસ નામનો એક નાનકડો ચંદ્ર છે. આ ચંદ્ર સૂર્યપ્રકાશનું ૯૦ ટકા પરાવર્તન કરે છે એટલે બરફના ચોસલા જેવો પારદર્શક દેખાય છે.

 ગુરૃને ૬૭ ચંદ્રો હોવાનું મનાય છે પરંતુ તેમાંના ૫૩ જ ઓળખી શકાયા છે.

 યુરેનસ પર મિથેનનું પ્રમાણ વધુ હોવાથી તે લાલ રંગનું સંપૂર્ણ શોષણ કરે છે અને આખો ભૂરો દેખાય છે.

 પ્લૂટો હવે ગ્રહ નથી પણ તે તેના જેટલા જ કદનો કેરોન નામનો ચંદ્ર ધરાવે છે.

 ઉત્તર ક્ષિતિજમાં એન્ડ્રો મેડા અને ટ્રાયંગુલુમ ગેલેક્સી નરી આંખે દેખાય છે.

 પૃથ્વીથી સૌથી નજીકની ગેલેક્સી એન્ડ્રોમોડા છે.

 સૂર્યમાળામાં બધા ગ્રહોના ચંદ્રો મળીને કુલ ૧૬૬ ચંદ્રો છે.

 બુધને વાતાવરણ નથી એટલે ત્યાં હવામાન, પવન કે પાણી પણ નથી.

 નેપ્ચ્યૂનનો ચંદ્ર ટ્રાઈટન તેની ફરત અવળી પ્રદક્ષિણા કરે છે

AMAZING TREES





















 દિલ્હીનો લાલ કિલ્લો



 રાષ્ટ્રીય તહેવારોમાં દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી  વડાપ્રધાન સલામી આપી રાષ્ટ્રને સંબોધન કરે છે. આ લાલ કિલ્લૌ ઐતિહાસિક ઈમારત છે.
 

 મોગલ બાદશાહ શાહજહાં ઈ.સ. ૧૬૩૮માં પોતાની રાજધાની આગ્રાથી ખસેડી દિલ્હી લાવ્યા ત્યારે લાલ કિલ્લો બંધાવ્યો હતો. 

 ઈ.સ. ૧૬૩૮ના મે માસની ૧૩ તારીખે મહોરમના તહેવારમાં તેનું બાંધકામ શરૃ થ યેલું અને તે બંધાતા ૧૦ વર્ષ લાગ્યા હતા. શાહજહાંએ આ કિલ્લાને 'કિલ્લાએ મુબારક'નામ આપેલું.
 
 લાલ કિલ્લાની ફરતે લાંબી દિવાલ છે. આ દિવાલ ૧૮ મીટરથી માંડીને ૩૩ મીટર ઊંચી છે. લાલ કિલ્લો મોગલ બાદશાહનું નિવાસ સ્થાન હોવાથી ભવ્ય હતો. કોહીનુર જડેલું સિંહાસન  આ કિલ્લામાં જ હતું. તેનો રંગમહેલ ભવ્ય હતો. સુંદર આરસની કોતરણીથી શોભતા રંગમહેલની છત ચાંદીજડેલ હતી.
 
 લાલ કિલ્લાના બે ભાગ હતા. દિવાને ખાસ એટલે શાહી પરિવારનું રહેઠાણ અને દિવાને આમ એટલે જનતા દરબાર. કિલ્લામાં આવેલા મોતી મસ્જિદ, રાણીનું નિવાસસ્થાન હયાત બક્ષબાગ, રંગમહેલ અને સંગીત ભવન જોવા મળે છે.
 
 શાહજહાં પછી ઘણા મોગલ બાદશાહો આ કિલ્લામાં વસેલા તેમણે ઘણા સુધારાવધારા કર્યા. અંગ્રેજોના શાસન દરમિયાન કિલ્લામાંની ઘણી કીંમતી ચીજો ખસેડી લેવાઈ પરંતુ લાલ કિલ્લાની ભવ્યતા આજે પણ અકબંધ છે.



Rahu Max

 ભમરી



 ભમરીથી બધા ડરે છે, કારણ કે એનો ડંખ લાગે તો ક્યાંય સુધી ચામડી ચચરે અને લ્હાય બળે. જોકે ભમરી પોતાનો જીવ બચાવવા માટે જ ડંખ મારે છે.

★ ભમરી એક એવું જંતુ છે જેની વિવિધ પ્રકારની અનેક પ્રજાતિઓ છે. આજ સુધી ભમરીની લગભગ ૩૦,૦૦૦ જેટલી પ્રજાતિની ઓળખ થઈ શકી છે.

 મોટાભાગના લોકો એવું માને છે કે ભમરી એટલે એક ચમકતાં રંગનું જીવજંતુ જે હંમેશા ઝૂંડમાં જ રહે, અને બધી ભમરી જાણે ગુસ્સામાં ગણગણતી આપણને ડંખ મારવા તૈયાર હોય! પણ એવું નથી. ભમરીની મોટાભાગની જાત ખરેખર એકાંતમાં રહેવાવાળી અને ડંખ વગરની હોય છે. મનુષ્યો માટે નુકસાનકારક એવાં બીજા કીટકો અને જીવડાંને ખાઈને તેમની વસતી નિયંત્રિત કરતી હોવાથી ભમરીનું અસ્તિત્વ આપણાં માટે ફાયદાકારક છે.

 ભમરી અને મધમાખી વચ્ચે ફરક એ રીતે પારખી શકાય કે ભમરીનો પેડુનો ભાગ અણીદાર અને ઘણો નીચે હોય છે. પેડુના ભાગને છાતીથી અલગ પાડતી ખૂબ પાતળી કમર હોય છે, જેને ‘પેટીઓલ’ કહેવાય છે. પીળા, કથ્થઈ, મેટાલિક બ્લૂ, લાલ એવાં પરિચિત રંગ સિવાય પણ કલ્પના કરી શકાતી હોય એવાં બધાં જ રંગોમાં ભમરીની અવનવી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે.

 ખુલતા રંગની ભમરીની પ્રજાતિ મોટાભાગે ‘વેસ્પાઇડે’ અથવા ડંખવાળા કુટુંબની હોય છે. બધી ભમરીઓ માળો બનાવે છે. જ્યારે મધમાખી માળો બનાવવા માટે એક મીણ જેવા પદાર્થનો સ્ત્રાવ કરે છે. ભમરીઓની પ્રજાતિને પ્રાથમિક રીતે બે પેટાજૂથમાં વિભાજિત કરવામાં આવે છેઃ સામાજિક અને એકાકી.

 સામાજિક ભમરીની માત્ર એક હજાર પ્રજાતિ છે. જેમાં યલો જેકેટ્સ અને હોર્નેટ જેવી કોલોની-બિલ્ડર્સનો સમાવેશ થાય છે.

 ભમરીની વસાહત રાણીથી શરૃ થાય છે. આગલા વર્ષે સંવનન કરીને બચી ગયેલી માદા શિયાળામાં મૃતપ્રાયઃ સ્થિતિમાં સંતાઈ રહે છે. જો એ જીવી જાય તો સૌથી પહેલાં પોતાનું એક દર બનાવી એમાં સો-દોઢસો ઈંડાં મૂકે છે. એમાંથી કામદાર માદાઓ જન્મે છે. એ માદાઓ દર મોટું બનાવવામાં ભમરી માદાને મદદ કરે છે. એ સાથે જ માદા રાણી બની જાય છે. ચોમાસા સુધી ભમરીઓ દર બનાવીને એમાં બચ્ચાં વિકસાવતી રહે છે. ચોમાસામાં નર પાંખો ફફડાવીને બહાર નીકળી માદાઓ શોધીને સંવનન કરી મૃત્યુ પામે છે. સંવનન કરેલી માદા ભમરી સારી જગ્યા શોધીને શિયાળો ગાળવા સંતાઈ જાય છે. શિયાળામાં જૂની રાણીનું દર નાશ પામે છે.

 એકાકી પ્રકારની ભમરીઓ મોટી વસાહત બનાવતી નથી. એકલ-દોકલ મળીને દર બનાવે છે અને એકલી જ જીવે છે. ઈંડા મૂકવાના થાય તો નરમ શરીર ધરાવતી ઈયળોના શરીરમાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી લાર્વા બહાર નીકળે તો એ ઈયળના શરીરને અંદરથી ખાવાનું શરૃ કરે છે અને મોટા થાય છે. એમ કરતાં ઈયળ મૃત્યુ પામે છે અને લાર્વા કોશેટો બની એમાં પડયા રહે છે. પછી યોગ્ય સમયે એમાંથી નવજાત ભમરી બહાર આવે છે. આવી ભમરી માત્ર સંવનનની ઋતુમાં જ નર કે માદાને શોધે છે. ભમરી દોઢ સેન્ટિમીટરથી માંડીને દોઢ ઈંચ સુધીની હોઈ શકે.



Rahu Max

AMAZON - WORLD'S BIGGEST SHOPPING SITE



આગામી 25 નવેમ્બરે વિશ્વનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ'બ્લેક ફ્રાઇડે'આવશે.વિવિધ કંપનીઓ કસ્ટમર્સ માટે ખાસ આ સમયગાળા દરમિયાન સ્પેશિયલ ઓફર્સ લાવતી હોય છે.વિશ્વની સૌથી મોટી શોપિંગ સાઇટ એમેઝોનના કેનેડા સ્થિત પીટરબરો વેરહાઉસમાં હાલમાં શું સ્થિતિ છે તે આ ફોટોગ્રાફ્સ દર્શાવે છે.

5.50 લાખ સ્ક્વેયર ફૂટમાં પથરાયેલું છે એમેઝોનનું વેરહાઉસ

-પીટરબરોનું આ વેરહાઉસ 5.50 લાખ સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલું છે.  
-અહીં દર સેકન્ડે 86 ઓર્ડર્સ આવે છે. 
-અહીંયા 1000 વર્કર્સ માત્ર પ્રોડક્ટ સિલેક્ટિંગ અને પેકેજિંગનું કામ કરી રહ્યા છે. 
- દર વર્ષે નવેમ્બર મહિનાનો ચોથો શુક્રવાર બ્લેક ફ્રાઇડે તરીકે ઓળખાય છે. 
-આ વર્ષે ડિમાન્ડને પહોંચી વળવા માટે એમેઝોને 20000 ટેમ્પરરી વર્કર્સ અને 3500 પર્મનન્ટ સ્ટાફ છે.
-ગત વર્ષે બ્લેક ફ્રાઇડે પર 74 લાખ પ્રોડક્ટ્સ વેચાઇ હતી.



Rahu Max

દૂરબીન

☝🏼 ક્રિકેટની મેચ કે દૂરની વસ્તુ નજીકથી જોવા માટે બાયનોક્યુલર્સ જાણીતું સાધન છે. જહાજોમાં પણ દૂર સુધી નજર રાખવા દૂરબીનનો ઉપયોગ થાય છે. અવકાશી સંશોધનો માટે આજે જાતજાતના ટેલિસ્કોપ વિકસ્યા છે પરંતુ બે કે વધુ લેન્સને ભૂંગળીમાં ગોઠવીને બનાવેલું દૂરબીન આ બધી શોધોનો પાયો છે અને દૂરબીનની શોધમાં એક બાળકની જિજ્ઞાાસાનો ફાળો છે. તેની વાત પણ રસપ્રદ છે. 

☝🏼 ઈ.સ. ૧૬૦૧માં હોલેન્ડમાં એક ચશ્માની દુકાનમાં એક મહિલા ચશ્મા ખરીદવા ગઈ. તેની સાથે એક બાળક હતું. બાળકે રમતાં રમતાં બે લેન્સ લઈ લીધા અને બંને સમાંતર રાખીને બારીની બહારનું દૃશ્ય જોવા લાગ્યો. દૂરની વસ્તુઓ અતિશય મોટી દેખાતાં તેને નવાઈ લાગી. તેણે તેની માતાને જોવા કહ્યું અને ત્યાર પછી દુકાનદારે પણ જોયું. પેલા દુકાનદારે ભૂંગળીના બંને છેડે લેન્સ લગાડીને દૂરબીન બનાવ્યું. આ વાતની જાણ ગેલીલિયોને થઈ. ગેલીલિયો તો મહાન વિજ્ઞાની અને ખગોળશાસ્ત્રી તેને ભૂંગળીના દૂરબીનમાં રસ પડયો. તેણે લેન્સની જાડાઈ, ભૂંગળીની લંબાઈ વિગેરેની ગણતરી કરીને આકાશમાં દૂર સુધી જોઈ શકાય તેવું મોટું દૂરબીન બનાવ્યું. તેણે પ્રથમવાર દૂરબીન વડે ચંદ્રની સપાટીનું અવલોકન કર્યું. આમ ગેલીલિયોએ દૂરબીન શોધ્યું. 

☝🏼 ગેલીલિયોના દૂરબીનની ભૂંગળી ઘણી લાંબી હતી. આજના બાયનોક્યૂલર્સમાં ત્રિપાશ્વૅ કાચની મદદથી ટૂંકા ગાળામાં મોટું પ્રતિબિંબ દેખાય છે.

વિશ્વની સૌથી મોટી ઘડિયાળ લંડનનો ક્લોક ટાવર

👉🏻 લોલકની શોધ પછી તેનો સૌથી વધુ ઉપયોગ ઘડિયાળમાં થયો. મધ્યયુગમાં શહેરોમાં ટાવર ઘડિયાળ મૂકવાની પરંપરા હતી. કિલ્લા અને રાજમહેલોમાં તોતિંગ ઘડિયાળોવાળા ઊંચા ટાવર બંધાતાં. લંડનના વેસ્ટ મિનિસ્ટર પેલેસમાં આવેલો વિખ્યાત ક્લોક ટાવર વિશ્વની સૌથી મોટી ઘડિયાળ છે. 

👉🏻 ઈ.સ. ૧૮૫૬માં ક્લોક ટાવર બનેલો. ઘડિયાળનો ચંદો ૨૩ ફૂટ વ્યાસનો છે તે રંગીન કાચના ૩૧૨ ટૂકડાથી જોડઈને બનેલી છે. આ ઘડિયાળને ૧૩ ફૂટ લાંબું ૩૦૦  કિલોગ્રામ વજનનું લોલક છે. 

👉🏻 ઘડિયાળનું મશીન પાંચ ટન વજનનું છે. આ ઘડિયાળ ચોકસાઈપૂર્વક સમય દર્શાવવા માટે વિશ્વપ્રસિદ્ધ છે. 

👉🏻 ઘડિયાળને સમયસર રાખવા ઋતુ પ્રમાણે લોલકની લંબાઈ અને વજનમાં ફેરફાર કરવામાં આવે છે. તેનો હિસાબ પણ ગજબનો છે. લોલકનું વજન વધારવા પેનીના સિક્કા નાખવામાં આવે છે. પેનીનો એક સિક્કો ઉમેરવાથી ઘડિયાળની ઝડપમાં ૦.૪ સેકંડનો વધારો થાય છે. 

👉🏻 કલોક ટાવર સાથે વિશ્વનો સૌથી મોટો ઘંટ બીગબેન જોડાયેલો છે. ૨.૨ મીટર ઊંચો, ૨.૯ મીટર પહોળો આ ઘંટ ૧૩.૫ ટન વજનનો છે. ક્લોક ટાવર દર કલાકે આ ઘંટમાં ડંકા વગાડે છે.

કાઠિયાવાડના કાઠિ દરબારો ના રાજ્યો

1).જસદણ સ્ટેટ
રાજા સાહેબ  :- આલા ખાચર
જન્મ તારીખ :- 4/11/1905
ક્ષેત્રફળ        :-296
વસ્તી          :- 37,672
આવક         :-6,00,000

2).થાણા દેવળી સ્ટેટ
રાજા સાહેબ  :-અમરાવાળા
જન્મ તારીખ :-26/11/1895
ક્ષેત્રફળ        :-118
વસ્તી          :- 18,790
આવક         :-3,00,000

3).વડિયા સ્ટેટ
રાજા સાહેબ  :-સુરગવાળા
જન્મ તારીખ :-15/3/1904
ક્ષેત્રફળ        :-92
વસ્તી          :- 1,682
આવક         :-3,00,000

4).જેતપુર સ્ટેટ
રાજા સાહેબ  :-સુરગવાળા
જન્મ તારીખ :-8/9/1923
ક્ષેત્રફળ        :-102
વસ્તી          :- 37,831
આવક         :-4,50,000

5).બીલખા સ્ટેટ
રાજા સાહેબ  :-રાવતવાળા
જન્મ તારીખ :-19/1/1906
ક્ષેત્રફળ        :-167
વસ્તી          :- 45,000
આવક         :-3,75,000

6).બગસરા(ખારી) સ્ટેટ
રાજા સાહેબ  :-ભાયાવાળા
જન્મ તારીખ :-*****
ક્ષેત્રફળ        :-40
વસ્તી          :-4,609
આવક         :-1,40,000

7).વાઘણીયા સ્ટેટ
રાજા સાહેબ  :-અમરાવાળા
જન્મ તારીખ :-19/1/1919
ક્ષેત્રફળ        :-45
વસ્તી          :- 485
આવક         :-1,50,000

8).ચાંપરાજપુર સ્ટેટ
રાજા સાહેબ  :-ચાંપરાજવાળા
જન્મ તારીખ :-27/6/1903
ક્ષેત્રફળ        :-395
વસ્તી          :- 3,740
આવક         :-1,00,000

9).બગસરા(હડાળા) સ્ટેટ
રાજા સાહેબ  :-વાજસુરવાળા
જન્મ તારીખ :-30/1/1873
ક્ષેત્રફળ        :-25
વસ્તી          :- 5,915
આવક         :-60,000

10).ચુડા(થુંબાળા) સ્ટેટ
રાજા સાહેબ  :-ભાભાવાળા
જન્મ તારીખ :-19/9/1908
ક્ષેત્રફળ        :-14
વસ્તી          :- 1,910
આવક         :-40,000

11). સુર્યપ્રતાપગઢ સ્ટેટ
રાજા સાહેબ  :-જેઠસુરવાળા
જન્મ તારીખ :-25/7/1912
ક્ષેત્રફળ        :-23
વસ્તી          :- 1,810
આવક         :-45,000

12).અનીડા સ્ટેટ
રાજા સાહેબ  :-માણસુરવાળા
જન્મ તારીખ :-5/5/1914
ક્ષેત્રફળ        :-23
વસ્તી          :- 1,810
આવક         :-45,000

13).ખીજડિયા સ્ટેટ
રાજા સાહેબ  :-ભુપેન્દ્રસિંહજી વાળા
જન્મ તારીખ :-*****
ક્ષેત્રફળ        :-23.5
વસ્તી          :- 2,430
આવક         :-40,000

14).આલીધ્રા સ્ટેટ
રાજા સાહેબ  :-અમરાવાળા
જન્મ તારીખ :-20/9/1902
ક્ષેત્રફળ        :-23.5
વસ્તી          :- 2,430
આવક         :-40,000

15).માનપુર સ્ટેટ
રાજા સાહેબ  :-નાજાવાળા
જન્મ તારીખ :-*****
ક્ષેત્રફળ        :-11
વસ્તી          :- 1,150
આવક         :-24,000

16).માયાપાદર સ્ટેટ
રાજા સાહેબ  :-દેસાવાળા
જન્મ તારીખ :-21/6/1897
ક્ષેત્રફળ        :-9.5
વસ્તી          :- 652
આવક         :-20,000

17).સનાળા સ્ટેટ
રાજા સાહેબ  :-નથુવાળા
જન્મ તારીખ :-*****
ક્ષેત્રફળ        :-7.5
વસ્તી          :- 640
આવક         :-25,000

18).ભાયાવદર સ્ટેટ
રાજા સાહેબ  :-ભાયાવાળા
જન્મ તારીખ :-30/12/1980
ક્ષેત્રફળ        :-11.5
વસ્તી          :- 1,106
આવક         :-25,000

19).ડાંગાવદર સ્ટેટ
રાજા સાહેબ  :-એભલવાળા
જન્મ તારીખ :-29/11/ર્896
ક્ષેત્રફળ        :-7
વસ્તી          :- 1,109
આવક         :-18,000

20).હરસુરપુર સ્ટેટ
રાજા સાહેબ  :-મેરામવાળા
જન્મ તારીખ :-26/1/1921
ક્ષેત્રફળ        :-7
વસ્તી          :-671
આવક         :-20,000

21).નડાળા સ્ટેટ
રાજા સાહેબ  :-ઉનડવાળા
જન્મ તારીખ :-28/8/1981
ક્ષેત્રફળ        :-12
વસ્તી          :- 918
આવક         :-17,000

22).સરધારપુર સ્ટેટ
રાજા સાહેબ  :-વાજસુરવાળા
જન્મ તારીખ :-*****
ક્ષેત્રફળ        :-12
વસ્તી          :- 900
આવક         :-17,000

23).અકાળા સ્ટેટ
રાજા સાહેબ  :-જગાવાળા
જન્મ તારીખ :-*****
ક્ષેત્રફળ        :-12
વસ્તી          :- 900
આવક         :-17,000

24).આણંદપુર સ્ટેટ
રાજા સાહેબ  :-દેસાખાચર
જન્મ તારીખ :-*****
ક્ષેત્રફળ        :-70
વસ્તી          :- 2,529
આવક         :-16,000

# કેટલાટ સ્ટેટો બીનઅખત્યારી હોવાથી તેમનો ઉલ્લેખ કરેલ નથી.

🚩કાઠિયાવાડના કાઠિ દરબારોની જાગીર

_જાગીરનુનામ      ગામની સંખ્યા

1).આંકડીયા - 1

2).આણંદપુર(મજમુ) - 6

3).બાબરા(મજમુ) - 6

4).બીલખા" - 5

5).બગસરા" - 1

6).બાભણબોર - 1

7).ભડલી - 5

8).બળધોઇ - 2

9).ભાણેજડા - 2

10).ભીમરો - 2

11).ચરખા - 1

12).ચીરોડી - 1

13).ચોબારી - 6

14).ચોટીલા - 9

15).દહીંડા - 6

16).ડેડાણ(મજમુ) - 6

17).ઢોલરવા - 1

18).ગઢીયા - 1

19).ગરમલી - 1

20).ગરમલી(નાની) - 1

21).ગીગાસણ - 2

22).હાલરીયા - 1

23).ઇતરીયા - 1

24).જામકા - 3

25).કણેર - 1

26).કાનપુર - 1

27).કરીયાણા - 4

28).કાથરોટા - 1

29).ખંભાળા - 2

30).ખીજડીયા - 1

31).લાખાપાદર - 1

32).માણાવાવ - 1

33).માત્રા ટીંબલા - 2

34).મેવાસા - 2

35).મોણવેલ - 2

36).નીલવણા - 1

37).નોંધણવદર - 2

38).પાળીયાદ(મજમુ) - 7

39).રામપરડા - 2

40).રાણીગામ - 1

41).રાણપરડા - 2

42).સણોસરા - 2

43).સેજકપર - 3

44).સીલાણા - 2

45).ધાધલપુર (સુદામડા) - 2

46).વાધવડી - 1

47).વેકરીયા - 1

ઉપરોક્ત 47 જાગીરના 115 ગામ કાઠિ દરબારના હતા.

🚩કાઠી દરબારો ના ગીરાસના ગામોની વીગત

શહેરનુ નામ         ગીરાસદાર

1). ચોટીલા          ખાચર
2).પાળીયાદ        ખાચર
3).મેવાસા           ખાચર
4).સેજકપર          ખવડ
5).ભીમોરા           ખાચર
6).ચોબારી           ખાચર
7).બામણબોર      ખાચર
8).રામપરડા        કરપડા
9).માત્રા ટીંબા      ખાચર
10).ભાણેજડા       ભાંભળા
11).જસદણ         ખાચર
12).ભડલી           ખાચર
13).કરિયાણા       ખાચર
14).ઈતરીયા        ખાચર
15).ખંભાળા         ખાચર
16).નીલવળા      ખાચર
17).કોટડાપીઠા     વાળા
18).બાબરા          વાળા
19).સુદામઠા         ખવડ
20).જેતપુર          વાળા
21).બીલખા         વાળા
22).બગસરા        વાળા
23).લાખાપાદર     વાળા
24).કણેર             વાળા
25).કાથરોટા        માલા
26).ગરમલીમોટી  વાળા
27).ગરમલીનાની  વાળા
28).જામકા           વાળા
29).ખીજઠીયા       વાળા
30).ગઢીયા           વાળા
31).ચરખા           વાળા
32).ઢોલરવા        વાળા
33).માણાવાવ       વાળા
34).મોણવેલ         વાળા
35).વેકરીયા          વાળા
36).હાલરીયા         વાળા
37).સિલાણા          વાળા
38).દહીડા             વાળા
39).વાઘવડી         વાળા
40).ગીગાસણ       કોટીલા
41).ઇશ્વરીયા         વાળા
42).ગળથ            બસિયા
43).પીપળલગ      વાળા
44).પાંચવડા        વાળા

🚩બરવાળા બાવીશી
1). બરવાળા - ખાચર
2). જોળીલા - ખાચર
3). કુંડળ - પટગીર
4). વેજકલા - ખાચર
5). ચંદરવા - ખાચર
6). સુંદરયાણા - ખાચર
7). ગુંદા - ખાચર
8). ખાંબડા - ખાચર
9). રોજીંદ - ખાચર
10). ચાચરિયા - ધાધલ
11). રેફડા - ધાધલ
12). સારિંગપુર - ખાચર

આ ચુમાલીશ ઉપરાંત ભાવનગર, વડોદરા, ગોંડલ, જામનગર, જુનાગઢ રાજ્યો મા કાઠી ગીરાસદરો ના અંદાજિત 200 નગરો હતા.

        બધા મળીને 600 (છસો) ઉપરાંત ગામો થતા હતા.

600 સુવાંગ ગામો ઉપરાંત 2000 (બેહજાર) ગામોમા કાઠી દરબારોની પથરામણી હતી.